Shravansuvas | Tithi Anusar Mahadevmahatmya | Gujarati Book Paperback (Hardwar Goswami)

188.00

9789395339001

Out of stock

ભગવાન શિવ નિર્વાણરૂપ અને નિત્યનિજાનંદી દેવ છે. સર્વ શક્તિમાન અને સંવેદનાના સંવાહક પણ છે. જગતના અસ્તિત્વનું કારણ છે અને સર્વ શાસ્ત્રનું તારણ છે. આપણા ઉપનિષદમાં જે બ્રહ્મની વાત છે એ બ્રહ્મ સ્વયં ભગવાન શિવ છે. જે માણસ ભરપૂર ભરોસાથી શિવની ભક્તિ કરે તો એ વેદની ઋચાના પઠન બરાબર છે. શિવ સ્વતંત્ર છે, પણ એ સ્વતંત્રતાનો કદી દુરુપયોગ નથી કર્યો. ગ્રંથસ્થ શિવની એક-એક કથા પાવનકારી છે. ‘શ્રાવણસુવાસ’ નાભિથી નભ સુધી વિસ્તરે એવી પ્રભુ પ્રાર્થના. મારો સાધુવાદ અને સ્નેહ પાઠવું છું. -મોરારિબાપુ

હરદ્વાર ગોસ્વામીની ગુજરાત સમાચારની લોકપ્રિય કોલમ ” શ્રાવણસુવાસ” હવે પુસ્તક આકારે. ભાગવાન શિવના ભાવભીના ભજન ,સ્તુતિ અને સ્તોત્ર ,શ્રાવણ મહિનાના દરેક દિવસનું મહત્વ અને અદ્ભૂત અલૌકિક પાવન પ્રસંગો આ પુસ્તકમાં આકાર પામેલ છે.

Weight 219 g